Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામનગરમાં ગરબે ઘૂમતી બાળાઓને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા દ્વારા લ્હાણી વિતરણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : નવરાત્રી જેમ જેમ આગળ વધી રહી છે તેમ નવલાં નોરતામાં કુમારિકાઓના હરખ અને ઉલ્લાસ દિવસેને દિવસે વધી રહ્યો છે કોરોના અને પૂર જેવી કપરી આ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી ઘણા સમય પછી ખુશીઓ આવી છે. અને કોઈ તહેવારની મનમુકી ઉજવણી થઇ રહી છે.

જામનગર શહેર ખાતે નવલા નોરતામાં નાની નાની દીકરીઓને મુસ્કુરાહટ ખીલતી રહે અને ઉત્સાહભેર નવરાત્રી ઉજવણી કરે એ માટે જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગરના અલગ અલગ વિસ્તારોમાં લાણી વિતરણ કરાઈ રહી છે. ત્યારે તારીખ ૧૧-૧૦-૨૦૨૧ના રોજ અલગ-અલગ લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શ્રી નવદુર્ગા ગરબી મંડળમાં દીકરીઓને ૯૬ દીકરીઓને સોનાના દાણા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રી આશાપુરા ગરબી મંડળમાં ૩૦ દીકરીઓને બટવા આપવામાં આવ્યા, અને શ્રી રાંદલકૃપા ગરબી મંડળમાં ૨૫ દીકરીઓને પણ બટવા આપવામાં આવ્યા હતા. નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લહાણી મળતા દીકરીઓમાં પણ અનેરો આનંદ જોવા મળે છે. અને પ્રોત્સાહન પણ મળે છે.(તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:00 pm IST)