Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

મોરબી ; આવતી કાલે તા.૧૩ સપ્ટેમ્બરના રોજ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિમાર્ણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત જનસુખાકારીના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબી માર્કેટીંગ-યાર્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારી/અધિકારી તથા નગરજનો ઉપસ્થિત રહેશે.

(12:36 am IST)