Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

માળિયામાં મીઠાના કારખાનામાં વીજળી પડતા સગીરના મોત મામલે પોલીસે તપાસ આદરી.

મોરબી :  હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી પડવાના બનાવો નોંધાયા છે જેમાં માળિયામાં મીઠાના કારખાનામાં વીજળી પડતા ૧૩ વર્ષના સગીરનું મોત થયું હતું

મોરબીના લખધીરપુર રોડ પરના રહેવાસી રોહિત સુખાભાઈ પાટડીયા (ઉ.વ.૧૩) નામના સગીર સુરજબારી પુલ પાસે આઝાદ સોલ્ટ મીઠાના કારખાને હોય ત્યારે ગાજવીજ સાથે વરસાદ હોય અને અચાનક વીજળી પડતા સગીર આખા શરીરે દાઝી જતા મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી માળિયા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે.

(12:29 am IST)