Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબી નજીક આવેલ ત્રાજપર ગામે માતાજીના મંદિર પર વીજળી પડતા મંદિરના શિખર સહિતના ભાગને નુકસાન

મોરબી નજીક આવેલ ત્રાજપર ગામે માતાજીના મંદિર પર વીજળી પડતા મંદિરના શિખર સહિતના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.

મોરબી નજીક આવેલ ત્રાજપર ગામે આવેલ ગણેશિયા પરિવારના માતાજીના મંદિર પર ગત રાત્રિના દસ વાગ્યાની આસપાસ જોરદાર કડાકા ભડાકા સાથે આકાશી વીજળી પડતા મંદિરના શિખર સહિતના ભાગને નુકસાની પહોંચી હતી. જોકે આ ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:24 am IST)