Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબીમાં લોનના હપ્તા નહિ ભરી સકતા આધેડે એસીડ પી આપઘાત કર્યો.

મોરબી જીલ્લામાં આપઘાતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે જેમાં યુવાનો ઉપરાંત આધેડ વયના પીઢ લોકો પણ વિવિધ સમસ્યાથી કંટાળી જઈને આયખું ટૂંકાવી લેતા હોય છે જેમાં વાવડી રોડ પર રહેતા ૫૧ વર્ષના આધેડે લોનના હપ્તા નહિ ચૂકવી સકતા એસીડ પી લેતા મોત થયું હતું
મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરના રહેવાસી મગનભાઈ લક્ષ્મણભાઈ ધૂળકોટીયા (ઉ.વ.૫૧) નામના આધેડે એસીડ પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું
બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મગનભાઈ ધૂળકોટીયા એ રહેણાંક મકાન પર હોમ લોન લીધી હોય અને ગોલ્ડ લીન લીધેલી હોય જેના હપ્તા ભરવાના હોય પરંતુ તેની પાસે રૂપિયા ના હોવાથી કંટાળી જઈને એસીડ પી લીધું હતું અને સારવારમાં મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(12:21 am IST)