Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

આગામી શંકરાચાર્ય પદવી માટે ૪૫૦ શિષ્યોમાં થી ખાસ બે શિષ્યો પ્રમુખ દાવેદાર

દ્વારકાના સદાનંદ સરસ્વતીજી મહારાજ તથા ઝોતેશ્ર્વરપીઠ નાં અવીમુક્તેશ્ર્વર મહારાજ નું નામ મોખરે

દ્વારકા તા.૧૨ :    આગામી શંકરાચાર્ય પદવી માટે ૪૫૦ શિષ્યોમાં થી ખાસ બે શિષ્યો પ્રમુખ દાવેદાર છે.

દ્વિપીઠાધીશ્રવર શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ના બ્રહ્મલીન થયા બાદ સંભવિત શંકરાચાર્ય પદવી માટે દ્વારકાના સદાનંદ સરસ્વતીજી મહારાજ તથા ઝોતેશ્ર્વરપીઠ નાં અવીમુક્તેશ્ર્વર મહારાજ નું નામ મોખરે છે.
    સામાન્ય લોકો નું ૧૩મા દિવસે તેરમું હોય તેવી રીતે સાધુ સંતો ને ૧૬મા દિવસે સોડષી હોય જેથી ૧૬ દિવસ બાદ ઈચ્છા પત્ર પરથી નિયુક્તી કરવામાં આવશે.(ઓમ થોભાણી - દ્વારકા)

(3:06 pm IST)