Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જૂનાગઢના અકિલાના પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષીની આજે ૧૫મી પુણ્‍યતિથી

મેયર, ધારાસભ્‍ય, સાધુ સંતો ઓનલાઇન શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે : પત્રકાર જગતમાં દોઢ દાયકા બાદ પણ તેઓની યાદ અતુટ અમીટ રહી છે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૨ : જૂનાગઢ અકિલાના પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષીની આજે ૧૫મી વાર્ષિક પુણ્‍યતિથી છે. ત્‍યારે સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી સાંજે ૬ વાગ્‍યા થી શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
જેમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી તેમજ  સાધુસંતોમાં ધુનડાના યુ જેન્‍તીરામબાપા, ચાપરડાથી પુ. મુકતાનંદ બાપુ, પુ. ઇન્‍દ્રભારતી મહારાજ, મેંદરડાના પુ. સુખરામદાસબાપુ સહિતના ઓનલાઇન કાર્યક્રમમાં જોડાઇ સૂર્યકાન્‍તભાઇને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે.
    જોષી પરિવારના મોભી ગં.સ્‍વ. વિજયાબેન શિવલાલભાઇ જોષી તેમજ ગિરાબેન સૂર્યકાન્‍ત જોષી, પુત્રી ત્રુષિતા મહેશકુમાર જોષી સાઉદી અરેબિયા, પુત્ર અભિષેક અને અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, મિતાબેન જોષી, વિરલ જોષી(ન્‍યુઝીલેન્‍ડ) તેમજ મૈત્રેય જોષી અને બેન મધુબેન દિનેશભાઇ તેરૈયા સહિતના ભાવાંજલી અર્પણ કરશે. સૂર્યકાન્‍તભાઇની વિદાયને આજે દોઢ દાયકો થવા છતા પત્રકાર જગતમાં તેઓની અમીટ અતુટ છાંય છોડી ગયા છે. આજે પણ લોકો તેમની નિડરતા, પત્રકારત્‍વ ક્ષેત્રે મેળવેલી લોકચાહનાને લઇ આજે પણ યાદ કરે છે.

 

(2:59 pm IST)