Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ટંકારા પાસે કારે બાઇકને ઉલાળતા મજુરી કામે જતા અરવિંદભાઇ સાડમીયાનું મોત

હરીપર ગામ પાસે બંધ ટ્રક સાથે એસ.ટી. બસ અથડાતા મુસાફરો ઘવાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧રઃ ટંકારામાં જામનગર રોડ તરફ જતા સ્‍ટેટ હાઇવે રોડ પર બાઈક અને કાર વચ્‍ચે અકસ્‍માત  થતા બાઈક ચાલક શ્રમિકનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું.

ફરિયાદી રાજેશભાઇ ભનુભાઇ સાડમીયાએ જણાવ્‍યું હતું કે,જામનગર રોડ તરફ જતા સ્‍ટેટ હાઇવે રોડ પર પરિવાર કોટન પાસે તેમના ભાઈ અરવિંદ ઉર્ફે બાબુભાઇ ભનુભાઇ સાડમીયા પોતાનુ બાઈક નં જીજે૦૩જેર૬પ૦  લઇને ટંકારા મજુરી કામે જતા હતા. એ સમયે ટંકારા તરફ થી એક ૧-ર૦ કાર નં જીજે-૩૬-એફ-૮૦૦ર-આઇ-ર૦ કારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી પોતાની કાર ચલાવતા બાઈક સાથે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેને પગલે અરવિંદભાઈના હાથ અને પગ પર ફ્રેક્‍ચર થયું હતું તેમજ માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું.  બનાવ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ટંકારાના હરિપર ગામ પાસે બંધ ટ્રક સાથે એસટી બસ અથડાતા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.  જેમાં ફરિયાદી સચીનભાઇ પ્રવિણભાઇ ટીલાવતએ જણાવ્‍યું હતું કે, તેઓ તેમના કાકા સાથે આદિપૂરમાં વ્‍યવહારિક કામે ગયા હતા અને આદિપૂરથી તેઓ ભુજ જૂનાગઢની એસ.ટી બસ નં જીજે-૧૮-ઝેડ--૭૭૩૦ પર જેતપુર જવા નીકળ્‍યા હતા. એ સમયે ટંકારાથી રાજકોટ જતા રોડ પર હરિપર ગામ ના પાટીયા પાસે તેમની બસનો બંધ ર્ટ્‍ક નં જીજે-૧ર-બીએકસ-૮૫૫૦  સાથે અક્‍સમાત સર્જાયો હતો.  આ અકસ્‍માતમાં બસની ખાલી સાઈડનું પડખું ચીરાઈ ગયું હતું, જેને કારણે બસમાં સવાર પેસેન્‍જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને તેમને ઈજાઓ પહોંચી હતી. આ મામલે  ફરિયાદી સચીનભાઇએ ર્ટ્‍ક નં .જીજે૧રબીએકસ-૮૫૫૦ના ચાલક વિરુદ્ધ કોઇપણ જાતની આડસ રાખ્‍યા વગર કે સાઇડસિગ્નલ કે ર્પાકિંગ લાઇટ ચાલુ કર્યા વીના પોતાનો ટ્રક અડચણરૂપ રાખી અકસ્‍માતને આમંત્રણ આપ્‍યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

(4:10 pm IST)