Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

સાંજે જગદગુરૂ પૂ. સ્‍વરૂપાનંદજી સરસ્‍વતીની મધ્‍યપ્રદેશમાં સમાધી : દ્વારકામાં શ્રધ્‍ધાજંલી સભા

ગૌરક્ષા માટે અનેક વખત જેલવાસ ભોગવ્‍યો‘તો : સ્‍વતંત્રતા સંગ્રામના સેનાની હતા : ૧૯૮૨ થી દ્વારકાધીશ શારદાપીઠના ૭૮માં શંકરાચાર્યપદે હતા

(વિનુભાઇ સામાણી-કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા-ખંભાળીયા,તા.૧૨ :  જ્‍યોર્તિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરુપાનંદ સરસ્‍વતીજીનું ૯૯ વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્‍યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં ગઈકાલે રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્‍યે અંતિમ શ્વાસ લીધા હતા. સ્‍વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. સ્‍વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. શંકરાચાર્યના શિષ્‍ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્‍યું કે સ્‍વામી સ્‍વરુપાનંદ સરસ્‍વતીને આજે સોમવારે સાંજે ૫ વાગ્‍યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.

 ત્રીજના દિવસ જન્‍મદિવસ મનાવ્‍યો હતો. જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્‍વામી સ્‍વરુપાનંદ સરસ્‍વતીજી બે મઠ (દ્વારકા અને જ્‍યોર્તિમઠ) ના શંકરાચાર્ય છે. સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીનો જન્‍મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્‍યાય રાખ્‍યું હતું. માત્ર નવ વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્‍યા અને જ્‍યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્‍વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ વેદાંગ, શાષાોનું શિક્ષણ લીધું. વર્ષ ૧૯૪૨ ના સમયગાળામાં તેઓ માત્ર ૧૯ વર્ષના હતા ત્‍યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. શંકરાચાર્યજીના ૯૯ મા જન્‍મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી.

 ૧૯૫૦ માં દંડ દીક્ષા લીધી સ્‍વામી સ્‍વરૂપાનંદે નવ વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્‍યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્‍થાનો, સ્‍થળો અને સંતોની મુલાકાત લીધી. સ્‍વામી સ્‍વરૂપાનંદજીને ૧૯૫૦માં દાંડી સન્‍યાસી બનાવવામાં આવ્‍યા હતા. જ્‍યોર્તિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્‍વામી બ્રહ્માનંદ સરસ્‍વતી પાસેથી દડ સન્‍યાસની દીક્ષા લીધી અને સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતી તરીકે ઓળખાયા. તેમને ૧૯૮૧ માં શંકરાચાર્યની પદવી મળી હતી. ૧૯ વર્ષની વયે સ્‍વતંત્રતા સેનાની બન્‍યા ૧૯૪૨ માં જ્‍યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્‍યારે સ્‍વામી સ્‍વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. ૧૯ વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્‍યાત થયા. તેઓ વારાણસીમાં ૯ મહિના અને મધ્‍યપ્રદેશની જેલમાં ૬ મહિના સુધી કેદ રહ્યા હતા.

 રામમંદિરના નામે ઓફિસ બનાવવાનો આરોપ મૂકયો હતો શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીએ રામ જન્‍મભૂમિ ન્‍યાસના નામે વિહિપ અને ભાજપ પર નિશાન સાધ્‍યા હતા. તેમને કહ્યું હતું અયોધ્‍યામાં મંદિરના નામે ભાજપ વિહિપ પોતાની ઓફિસ બનાવવા માગે છે, જે અમને મંજૂર નથી. હિન્‍દુઓમાં શંકરાચાર્ય જ સર્વોચ્‍ચ હોય છે. હિન્‍દુઓની સુપ્રીમ કોર્ટ અમે જ છીએ. મંદિરનું એક ધાર્મિક રૂપ હોવું જોઈએ, પરંતુ આ લોકો તેને રાજકીય સ્‍વરૂપ આપવા માગે છે, જે અમને લોકોને માન્‍ય નથી.

  પૂજ્‍ય જગદ્‌ગુરૂ શંકરાચાર્યજી મહારાજ સ્‍વતંત્રતા સંગ્રામ સેનાની હતાઁતથા ગૌરક્ષા માટે અનેક વાર જેલની યાત્રા કર્યા હતા. આપશ્રી બાલ બ્રહ્મચારી, વિદ્ધાન, ત્‍યાગી અને દેશના મહત્‍વપૂર્ણ સંન્‍યાસી હતા. ૧૯૭૩ થી આપ જ્‍યોતિષ્‍પીઠ બદ્રીનાથ તથા ૧૯૮૨ થી દ્વારકાશારદાપીઠના ૭૮માં શંકરાચાર્ય પદને શોભાયમાન કરતા હતા. સનાતન વેદિક ધર્મ, સંસ્‍કળતિ પરંપરા, શાસ્ર,   સદાચાર અને સંપૂર્ણ માનવતાના રક્ષક હતા. સાથે રાષ્‍ટ્ર ભક્‍તિના સાકાર રૂપ હતા. રાષ્‍ટ્ર તથા સમાજની રક્ષા અને વિકાસ માટે આપશ્રી એ ઘણા કાર્યો કર્યા. ગંગા પ્રદુષણ મુક્‍તિ, રામજન્‍મ ભુમિ, રામેશ્‍્‌વરના રામસેતુ, વગેરે જેવા અસંખ્‍ય ધાર્મિક તથા રાષ્‍ટ્રહેતના કાર્યોમાં આપશ્રીના યોગદાન સર્વ વિદિત છે. આ સંદર્ભે પૂજ્‍ય મહારાજશ્રીના શિષ્‍ય નારાયણાનંદ બ્રહ્મચારી, અખિલ ભારતીય સાધુ સમાજના મંત્રી સ્‍વામીશ્રી કેશવાનંદજી મહારાજ, રાજ્‍ય સભાના સદસ્‍ય પરિમલભાઈ નથવાણીજી, પબુભા માણેક, ગુગ્‍ગળી ૫૦૫ જ્ઞાતિના પ્રમુખ  અશ્વીનભાઈ પુરોહિત,  શારદાપીઠ વિદ્યાસભાની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓના વડા તથા સ્‍ટાફ,  દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર, લક્ષ્મીજી મંદિર પુજારી પરિવાર, પત્રકાર પરિવાર તથા સર્વે સનાતનધર્માનુરાગી દુઃખની લાગણી અનુભવે છે.  તા. ૧૨/૦૯/૨૦૨૨ ના સાંજે  ૫:૦૦ કલાકે પૂજ્‍ય મહારાજશ્રીની શ્રદ્ધાંજલી સભા શ્રીશારદાપીઠમાં સમ્‍પન્‍ન થશે તેમ નારાયણાનંદ બ્રહ્મચારી શ્રી શારદાપીઠ, દ્વારકાની યાદીમાં જણાવાયુ છે.

(2:29 pm IST)