Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ધોરાજી સમસ્‍ત સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ચોક કા રાજા ગણેશ મહોત્‍સવનું વિસર્જન

 ધોરાજી : ધોરાજી સમસ્‍ત સિંધી સમાજ દ્વારા ધોરાજીના વૈષ્‍ણવ વાડી ખાતે આવેલ ઝુલેલાલ ગ્રુપ દ્વારા ઝુલેલાલ ચોક કા રાજા ગણેશ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. દરરોજ વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવતા હતા. આ પ્રસંગે ધોરાજી ઝુલેલાલ ગ્રુપના જેરામભાઈ પારવાણી, જીતુભાઈ બજાજ, અનિલભાઈ મંગલાણી, વગેરે  અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને આયોલાલ ઝુલેલાલના નાદ સાથે ગણેશ મહોત્‍સવનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. આ સમયે મોટી સંખ્‍યામાં લોકો ગણેશ વિસર્જન મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(2:16 pm IST)