Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

નરેન્‍દ્રભાઇએ સહકાર ક્ષેત્રને વધુ સમૃધ્‍ધ બનાવવાની નવી દિશા કંડારી : અમિતભાઇ શાહ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સંનિષ્‍ઠ પ્રયાસોથી સહકારી ક્ષેત્રનું માળખુ સુદ્રઢ બન્‍યું છે : મધમાખી ઉછેર અને ગાય સંવર્ધન જેવા કૃષિના પૂરક વ્‍યવસાયોને પ્રોત્‍સાહન આપવા સરકાર કટિબધ્‍ધ : આવનારા પાંચ વર્ષોમાં ૩ લાખ સહકારી મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ :ગીર ગાય અને જાફરાબાદી ભેંસની ઓલાદના સંવર્ધન, તેના જતન અને તેની સશક્‍ત ઓલાદો જન્‍મે તેવા સંયુકત હેતુઓને સાકાર કરવા સંવર્ધન કેન્‍દ્ર શરૂ કરવામાં આવશે : કેન્‍દ્રીય પશુપાલન, મત્‍સ્‍યઉદ્યોગ અને ડેરી મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા

સહકારી માળખું મજબૂત બનાવવાની રાજ્‍ય સરકારની નેમ છે : સહકાર રાજ્‍યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ) ઞ્જ સહકારના સાત સૂત્રો મારફતે જિલ્લામાં રોજગારલક્ષી કાર્યો થયા છે અને સહકારી સંસ્‍થાઓને ફડચામાંથી પુનઃજીવિત કરી સ્‍વભંડોળની રકમમાં વધારો થયો છે : ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી ઞ્જ કેન્‍દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્‍થિતિમાં અમરેલી ખાતે વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સામાન્‍ય સભા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૨ : કેન્‍દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની ઉપસ્‍થિતિમાં અમરેલીની અમર ડેરીના પટાંગણમાં વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુકત વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્‍થિત સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્‍યોને સંબોધન કરતા કેન્‍દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંનિષ્ઠ પ્રયાસોથી સહકારી ક્ષેત્રનો નવો વિભાગ બનાવીને સહકાર ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવાની નવી દિશા કંડારી છે, તેમ કેન્‍દ્રીય મંત્રીશ્રી અમિતભાઈએ ઉમેર્યુ હતુ.

સહકાર ક્ષેત્ર પ્રત્‍યે સરકારની પ્રતિબધ્‍ધતા દોહરાવતા કેન્‍દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે કહ્યુ કે, સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકાર મધમાખી ઉછેર અને ગાય સંવર્ધન જેવા કૃષિના પૂરક વ્‍યવસાયને પ્રોત્‍સાહન આપવા સકારાત્‍મક પ્રયાસો કરી રહી છે. આ બાબતના સમર્થનમાં મંત્રીશ્રી શાહે ઉમેર્યુ હતુ કે કેન્‍દ્ર સરકારે મધમાખી ઉછેર માટે રુ.૫૫ કરોડની ફાળવણી કરી છે.

ગૃહ-સહકારમંત્રીશ્રી શાહે સહકારી મંડળીઓના પ્રોત્‍સાહન અંગે સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યુ હતુ કે, આવનારા પાંચ વર્ષમાં ૩ લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. આ માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્‍થાપના માટે રૂા.૧૫૦૦ કરોડ અને તેના કમ્‍પ્‍યુટરાઇઝેશન માટે રૂા.૧૦૦૦ કરોડ સહિત કુલ રૂા.૨,૫૦૦ કરોડ સરકારે ફાળવ્‍યા છે. તથા સહકાર યુનિવર્સિટીનું નિર્માણ કરી સહકારી ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. તેનો ડેટાબેઇઝ તૈયાર કરવામાં આવશે.ᅠ જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઈન જાણી શકાશે અને તેના વિકાસ માટે કામગીરી થઈ શકશે.ᅠ

મંત્રીશ્રી શાહે વધુમાં કહ્યુ કે, ગોબર ગેસ, ગોડાઉન, વીજ કલેક્‍શન, માર્કેટિંગ, ગેસ વિતરણ એજન્‍સી,ᅠ જલ સે નલ વગેરે ક્ષેત્રનોᅠ સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે. જેનાથી સહકારી ક્ષેત્રનો વ્‍યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સઘનપણે થઈ શકશે.

આ સંમેલનમાં કેન્‍દ્રીય પશુપાલન, મત્‍સ્‍યઉદ્યોગ અને ડેરી મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્‍યુ હતુ કે, જિલ્લાનું ગૌરવ કહી શકાય એવી ગીર ગાય અને જાફરાબાદી ભેંસની ઓલાદના સંવર્ધન, તેના જતન અને તેની સશક્‍ત ઓલાદો જન્‍મે તેવા સંયુકત હેતુઓને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી અમરેલી જિલ્લામાં એક સંવર્ધનકેન્‍દ્ર શરુ થવાનું છે, જેના કારણે જિલ્લાના પશુપાલકોને ખૂબ ફાયદો થશે.ᅠ

વધુમાં મંત્રીશ્રીએ કહ્યુ કે, દેશમાં સહકારથી સમૃદ્ધિનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ છે. પ્રતિદિન ૧૫૦ કરોડ રૂપિયાનું વેચાણ અમૂલના માધ્‍યમથી થાય છે, જેનો સીધો લાભ ઉપભોક્‍તાઓને થાય છે. ભારત સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતોને કેસીસી આપવામાં આવી રહી છે એવી જ રીતે હવે પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે, આ ડબલ એન્‍જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.

આ કાર્યક્રમમાં સહકાર રાજયમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ (પંચાલ) જણાવ્‍યુ હતુ કે, કેન્‍દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ-સહકાર અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ છેવાડાના માનવીની ચિંતા કરી રહ્યા છે. કેન્‍દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને રાજયમાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ એમ ડબલ એન્‍જિનની સરકાર છે. આ ડબલ એન્‍જિનની સરકારમાં લાભાર્થીઓને સીધા તેમનાં ખાતામાં જ પૈસા મળી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈના નેતૃત્‍વમાં સહકારી માળખું આગળ વધશે અને સહકારી ક્ષેત્રે ભારતનું ભાવિ કેવું હશે તેનો રોડમેપ તૈયાર થયો છે, તે મુજબ સહકારી માળખું મજબૂત બનાવવાની રાજય સરકારની નેમ છે.ᅠ

કાર્યક્રમમાં નેશનલ કો-ઓપરેટિવ યુનિયન અને ઈફકો સહિત અનેક સહકારી સંસ્‍થાઓમાં વિવિધ ઉચ્‍ચપદે કાર્યરત શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યુ હતુ કે, જે ડેરીમાં મધઉછેર પ્‍લાન્‍ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્યુ હતુ. આજે તેમા અમર મધ પ્રોડક્‍ટ તૈયાર થઈ છે અને તેનું લોકાર્પણ કેન્‍દ્રીય ગૃહ-સહકાર અને સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહ કરી રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાથી અનોખી ભાત પાડવામાં આવી રહી છે. જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક દ્વારા સહકારના સાત સૂત્રો મારફતે જિલ્લામાં રોજગારલક્ષી કાર્યો થયા. સહકારી સંસ્‍થાઓને ફડચામાંથી પુનઃજીવિત કરી સ્‍વભંડોળની રકમમાં વધારો થયો છે.ᅠ

અમરેલીમાં જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક, અમર ડેરી સહિતના આજની જે સહકારી સંસ્‍થાઓની આ સભા મળી રહી છે તે અને તેના સિવાય અનેક સંસ્‍થાઓના માધ્‍યમથી સહકારી પ્રવૃત્તિઓ કરી રહી છે. દેશમાં પહેલાં જયારે ખેડૂતો માટે વ્‍યાજના દર ઘણા ઉંચા હતા ત્‍યારે આ વ્‍યાજના દરો ઘટાડવાનું કામ પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીજીની સરકારમાં શરુ થયુ અને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સુશાસનમાં ઝીરો ટકા વ્‍યાજે આ લોન મળી રહી છે. આજે હું વિવિધ સ્‍તરે જે પ્રતિનિધિત્‍વ કરી રહ્યો છું તે અમરેલીને કેન્‍દ્રીય ગૃહ-સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા મળેલા આશિર્વાદ છે. જિલ્લામાં મધમાખી ઉછેર માટે સહાય આઇસ્‍ક્રીમ પલન્‍ટ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. ᅠ ᅠ ᅠ ᅠ ᅠ ᅠ ᅠᅠ

ᅠકેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા અમરેલી એરસ્‍ટ્રીપ ખાતેᅠ તેમનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, રેન્‍જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ભાજપ યુવા મોરચાના ઉપાધ્‍યક્ષશ્રી મનિષભાઈ સંઘાણી સહિતના પદાધિકારીશ્રીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓએ કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનું ઉષ્‍માભેર સ્‍વાગત કર્યુ હતુ.

(10:48 am IST)