Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

સોમનાથ સમુદ્ર તટે ૧૬ ફૂટ ઉંચી હનુમાનદાદાની મૂર્તિનું અમિતભાઇ શાહના હસ્‍તે અનાવરણ

વેરાવળ - પ્રભાસપાટણ : સોમનાથ પધારેલા અમીતભાઈ શાહ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના ગંગાજળ અભીષેક બાદ સમુદ્ર પર વોકવે પથ ઉપર આવેલ હનુમાનજીની સોળ ફૂટની સ્‍ટેન્‍ડ ઉપર આવેલ વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ. સોમનાથ મહાદેવ દર્શન બાદ ચાર કલાકના અરસામાં સોમનાથ નવનિર્મિત મારૂતિ હાટનુ ઉદઘાટન બાદ જતા સમયે હનુમાનજીની ભવ્‍ય પ્રતિમાનુ અનાવરણ બાદ નિકળી ગયેલા. તેમની સાથે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર, જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઈ ફોફંડી, સોમનાથ ટ્રસ્‍ટના સેક્રેટરી યોગેન્‍દ્ર દેસાઈ, ટ્રસ્‍ટી પી કે લહેરી, સોમનાથ ટ્રસ્‍ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અન્‍ય આગેવાનોએ હાજરી આપી હતી. (તસવીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)

(10:45 am IST)