Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જામકંડોરણામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાના સ્મરણાર્થે સર્વરોગ નિદાન-મહારકતદાન કેમ્પ : ગૌમાતાની રકતતુલા

જામકંડોરણા, તા. ૧ર : શ્રી લેઉવા પટેલ કન્યા છાત્રાલય અને જામકંડોરણા તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાના સ્મરણાર્થે કન્યા છાત્રાલય સંકુલ ખાતે મહારકતદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પને સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે સ્વ.વિઠ્ઠલભાઇ રાજદડિયાના સ્મરણાર્થે જામકંડોરણા તાલુકા ખોડલધામ સમિતિના સહયોગથી આ મહારકતદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો છે. આ રકતથી અનેક ગરીબ પરિવારના લોકોને નવુ જીવન મળશે. આ કેમ્પમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, લલીતભાઇ રાદડિયા, રાજકોટ જીલ્લા દૂર સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદર, સરપંચ જશમતભાઇ કોયાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ સહિતના અનેક આગેવાનો તેમજ તાલુકાભરના મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી રકતદાન કરી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પી હતી. આ કેમ્પમાં સવારથી જ લોકો રકતદાન કરવા કતારોમાં ઉભા રહી ગયા હતાં. આ મહારકતદાન કેમ્પમાં ૧ર૦૦ બોટલ રકત એકત્ર થયું હતું. આ એકત્ર થયેલ રકતથી ગૌમાતાની રકતતુલા કરવામાં આવી હતી. અહીં રકતદાન કરવા આવતા દાતાઓને વન વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જામકંડોરણા માર્કેટ ગાર્ડના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, સરપંચ જશમતભાઇ કોયાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ , મહામંત્રી ગૌતમભાઇ વ્યાસ, લલીતભાઇ રાદડીયા સહિતના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. આ રકતદાન કેમ્પ તેમજ નિદાન કેમ્પનો લાભ લઇ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા ખોડલધામ સમિતિના કાર્યકર્તાઓ તેમજ કન્યા વિદ્યાલયના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

(12:04 pm IST)