Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

માળીયા મિંયાણા પંથકમાં ડુબી જતા બે ના મોત

ધાંટીલાના વોંકળામાં ડુબી જતા જગમાલ ભરવાડ અને માળીયામાં આધેડ કાસમમીંયા સૈયદનું મોત

મોરબી, તા.૧૨:માળિયા પંથકમો ભારે વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાને પગલે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવા પામી હોય અને માળિયા પંથકમાં જળ બંબાકા જેવી સ્થિતિ સર્જાઈ હતી અનેક ગામોમાં પાણી ભરાય ગયા હોય જેમાં ડૂબી જવાના બે કિસ્સામાં યુવાન સહીત બે ના મોત થયા છે.

માળિયાના દ્યાંટીલા ગામના વોકળાના પાણીમાં ડૂબી જતા જગમાલ મંગાભાઈ ભરવાડ (ઉ.વ.૨૨)નું મોત થયું છે જયારે અન્ય બનાવમાં માળિયાના વાંઢ વિસ્તારમાં રહેતા કાસમીયા અલ્લારખા સૈયદ (ઉવ.૫૧) નામના આધેડનું ડૂબી જતા મોત થયું છે માળિયા પોલીસે બંને બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(12:01 pm IST)