Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સુરેન્દ્રનગર રેલ્વે મજદૂર સંઘ અને મજુર સંઘના હિરેનભાઇ મહેતા દ્વારા અનેક પડતર માગણી ખાનગીકરણ અને પ્રાથમિક પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ હડતાલ પર ઉતરવાની ચીમકી

હાલ સમગ્ર દેશમાં સસ્તા ભાડામાં સારી અને સવલત વાળી મુસાફરી રેલ્વે યુનિટ કરાવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ રેલ્વે ખૂબ સારી સારી એવી સુવિધાઓ છે. ત્યારે સુરેન્દ્રનગર પ્લેટફોર્મ અને રેલ્વે સ્ટેશનોમાં સ્વચ્છતા પણ ખૂબ સારી છે. ત્યારે કર્મચારીઓને માળતા લાભ અને અનેક પડતર માગણી પણ વધારે છે ત્યારે આજે સુરેન્દ્રનગર રેલ્વે મજદૂર સંઘ દ્વારા અને તેના મજુર સંઘના હિરેનભાઇ મહેતા દ્વારા અનેક પડતર માગણી ખાનગીકરણ અને અનેક પ્રાથમિક પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો રેલ્વે કર્મચારીઓ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીરમાં યુનિયન દ્વારા દેખાવો કરાયેલ તે નજરે પડે છે. (તસ્વીર-ફારૂક ચૌહાણ-સુરેન્દ્રનગર)

(3:25 pm IST)