Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગામડાની પરિસ્થિતી બગડી

વેરાવળ સોમનાથ સુત્રાપાડામાં હોસ્પીટલોમાં દર્દીઓ ઓછા થતા રાહત : વેરાવળ સોમનાથમાં ૧૮ મૃત્યુ સાથે જીલ્લામાં ૧૭૮ નવા કેસ નોંધાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨: સોમનાથ સુત્રાપાડા તાલુકામાં ગામડે ગામડે દર્દીઓની સારવાર માટે સંસ્થાઓ દ્રારા કામગીરી થઈ રહી છે જેથી હોસ્પીટલોમાં દર્દીઓ ઓછા થતા રાહત ફેલાયેલ છે પણ ગામડા ની પરીસ્થીતી બગડતી હોય તેવું જાણવા મળેલ છે જીલ્લામાં ૧૭૮ કેસ નોધાયા છે બિન સતાવાર મૃત્યુ ૧૮ જાણવા મળેલ છે.વેરાવળ સોમનાથ સુત્રાપાડાના ગામડાઓમાં દર્દીઓ ને સારવાર મળી રહે છે તેથી ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓની આવક ઓછી થતારાહત ફેલાયેલ છે પણ ગામડાઓમાં ટેસ્ટીગ ઓછા થતા હોય ઓકસીજન ઘટે ત્યારે જ ખબર પડે અને ગંભીર સ્થીતીમાં લાવવા પડે છે તેમાં ગામડાની પરીસ્થીતી બગડી છે ગામડાઓમાં હજુ પણ ટેસ્ટીગ વધારવાની જરૂર છે તેમ આગેવાનોએ જણાવેલ હતું.

વેરાવળ શહેરમાં ખાનગી હોસ્પીટલોમાં જે ભીડ હતી તે ખુબજ ઓછી થયેલ છે સાદા ખાટલા મળી જાય છે ઓકસીજન આઈસીયુ માટે રાહ જોવી પડે છે વેન્ટીલેટર તો મળતા નથી જીલ્લામાં ૧૭૮ કેસ નોધાયા છે તેમાં વેરાવળ પ૮, સુત્રાપાડા ર૧, કોડીનાર ૧૭, ઉના ૪ર, ગીરગઢડા ૧૧, તાલાલા ર૯નો સમાવેશ થાય છે.

(12:57 pm IST)