Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના પ૧ નવા કેસ નોંધાયા, ૯૮ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબીમાં સરકારી ચોપડે એક પણ મોત નહિ જયારે ૦૭ મૃતદેહના અંતિમ સંસ્કાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧ર :  જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મોરબી જીલ્લામાં નવા ૫૧ કેસ નોંધાયા છે જયારે ૯૮ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે આજે સરકારી ચોપડે એકપણ મોત નોંધાયું નથી જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૭ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૩૫ કેસો જેમાં ૨૨ ગ્રામ્ય અને ૧૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૨ કેસો શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૬ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૪ કેસો અને માળિયા તાલુકાના ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૫૧ કેસો નોંધાયા છે જયારે જીલ્લામાં ૯૮ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી.

નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૮૭૭ થયો છે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૭ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(12:47 pm IST)