Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ભાવનગરમાં ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૨૯૬ કેસો પૈકી ૭૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૯૬ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા પાલીતાણા ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ તેમજ મહુવા તાલુકાના મોટા જાદરા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૬ કેસ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૨૯૬ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે

(9:13 pm IST)