Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

જસદણના કાળાસરમાં અગ્નિસ્નાન કરી લેનારા મુકેશ કોળીનું મોત

રાજકોટ તા. ૧૨: જસદણના કાળાસર ગામે રવિવારે સાંજે આઠેક વાગ્યે પોતાના ઘરની અગાસીએ જઇ મુકેશ ધોહાણાભાઇ ધોળકીયા (ઉ.૨૭) નામના કોળી યુવાને અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ રાત્રીના તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મુકેશ ત્રણ ભાઇમાં વચેટ હતો અને અપરિણીત હતો. તે ખેત મજૂરી કરતો હતો. જો કે હાલમાં માનસિક બિમારી લાગુ પડી હોઇ કામે જતો નહોતો. બિમારીથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જસદણ જાણ કરી હતી. (૧૪.૫)

(11:53 am IST)