Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

મોરબીના ડો. જયંતીભાઇ ભાડેસીયાને પુનઃ પશ્ચિમ સંઘચાલકની જવાબદારી

મોરબી તા. ૧૨ : અખિલ ભારતીય પ્રતિનિધિ સભા દ્વારા મોરબીના ડો.જયંતીભાઈ ભાડેસિયાની ફરી પશ્યિમ સંઘચાલક તરીકે વરણી કરવામાં આવી છે. પુનઃવરણી થતાં ડો.જયંતીભાઈ ફરી ગુજરાત, કોંકણ, દેવગીરી, વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્ર વિસ્તારમાં આર એસ એસનું સુકાન સાંભળશે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નિર્ણય લેનાર સર્વોચ્ય શાખા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ સર્વાનુમતે પશ્ચિમ સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેસિયાને ફરી વખત પશ્યિમ ભારતનું સુકાન સોંપ્યું છે.૧૫૩૮ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ડો.જયંતિભાઇ ને ફરી પશ્યિમ સંઘચાલક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અનેક સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ સાથે જોડાયેલા ડો.જયંતીભાઈ ભાડેસીયા ની પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક તરીકે પુનઃ વરણી થતાં શુભકામના પાઠવામાં આવી રહી છે. નાનપણથીજ આર એસ એસમાં જોડાયેલા મોરબીના ડો.જયંતીભાઈ ભાડેસીયા એ અગાઉ પશ્ચિમ ક્ષેત્રમાં આર એસ એસનું સુકાન સફળતાપૂર્વક સાંભળ્યું તેથી તેઓની ફરી નિમણુક કરીને પશ્ચિમ ક્ષેત્રનું સુકાન સોંપવામાં આવ્યું છે.(૨૧.૨૩)

(12:59 pm IST)