Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરે ફ્રાન્સના શિવભકતો

ધોરાજીઃ સફુરા નદીના કીનારે બિરાજમાન અને પાંડવોએ જેમની સ્થાના પાંડવોએ કરેલ હતી એવા સૈતીહાસીક પંચનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નીમીતે ખાસ પુજાઅર્ચના અને ભારતીય સંસ્કૃતિ દર્શનાથે ફ્રાન્સથી ખાસ શીવભકતો ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિરે પધારેલ છે અને શીવરાત્રીની પૂર્વ પંચનાથ મહાદેવ મંદિર ખાતે ફ્રાન્સની શીવ ભકતોએ પુજા અર્ચના અને મહાઆરતીનો લાભ લીધો હત અને શીવરાત્રીના પૂર્વ પંચનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય શણગાર કરવામાં આવેલ છે. અને શીવરાત્રી નીમીતે વહેલી સવારે આરતી, જુના અર્ચના કરાશે અનો બપોરે ખાસ મહાઆરતી અને પુજા અર્ચના બાદ બપોરે ૧ર કલાકે ભાગનો પ્રસાદ અપાશે. આ તકે પંચનાથ મહાદેવ મંદિરના સ્વામી શ્રદ્ધાનંદગીરીએ ફાન્સથી પધારેલ નીમીતે આર્શીવચન આપેલ અને ખાસ પુજા અર્ચના અને તમામ તૈયારીઓમાં પંચનાથ મહાદેવ પૂર્વક મંડળ સેવાભાવી યુવાનો સેવાઓ આપી રહેલ છે.(તસ્વીર-અહેવાલ, ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(12:38 pm IST)