Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કાલાવડના ટોડા ગામમાં ડે. કલેકટર પંકજસિંહજી કે. જાડેજા રાજપુત સમાજવાડીનું લોકાર્પણ

કાલાવાડ તા. ૧રઃ તાલુકાના ટોડા ગામે નવનિર્મિત રાજપુત સમાજવાડીને ડે.કલેકટર પંકજસિંહ કે. જાડેજા રાજપુત સમાજવાડી ટોડા નામ અપાયું છે. થોડા સમય પહેલા અવસાન પામેલા ડે.કલેકટર સ્વ. પંકજસિંહ અહીના પનોતા પુત્ર હતા જેમણે સમગ્ર રાજયમાં કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણીક અધિકારી તરીકે નામના પ્રાપ્ત કરી છેતેમની સ્મૃતિને વતનમાં કાયમી સ્વરૂપે જાળવી રાખવા નવનિર્મિત સમાજવાડી સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે.

ગામમાં ઘણા વર્ષોથી સેવારત ઉતારાને પૂર્ણ રીતે  નવનિર્મિત કરી તેને ભોજનશાળાનું સ્વરૂપ આપવામાં આવ્યું અને તેની સાથે અહીના આગેવાન જયેન્દ્રસિંહજી જાડેજા (નિવૃત ડીવાયએસપી) ના સ્વર્ગસ્થ ધર્મપત્ની ચંદ્રાકુમારીબાની સ્મૃતિમાં તેનું નામકરણ ચંદ્રાકુમારીબા જયેન્દ્રસિંહજી જાડેજા રાજપુત સમાજવાડી (ભોજનશાળા) કરવામાં આવ્યું હતું.

આ બંને સમાજવાડીઓનું લોકાર્પણ દાણીધાર જગ્યાના મહંત સુખદેવજીબાપુના હસ્તે કરાયું હતું. સમાજભવન માટે અનુદાન આપનાર પંકજસિંહજીના પિતા પ્રોફે.કે.યુ.જાડેજા અને (નિવૃત ડીવાયએસપી) જયેન્દ્રસિંહજી જાડેજાનુ સન્માન કરાયું હતું.

આ તકે પ્રોફે .કે. યુ. જાડેજાએ મહિલા મંડળ રચીને મહિલા વિકાસની પ્રવૃતિઓ હાથ ધરવા સુચન કર્યું તેમજ ગામમાં શૈક્ષણીક વિકાસ માટે સરકારને ગામમાં હાઇસ્કુલ સ્થાપવા રજુઆત કરવાનું સુચવ્યું ટોડા ગામ વ્યસન મુકત યુવાનોનું ગામ બને તેવો અનુરોધ પણ કર્યો હતો.

આ સમારંભમાં રાજપુત સમાજ સહિતના અન્ય ગ્રામજનોની મોટી સંખ્યામં હાજરી હતી સમારંભમાં મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીએ નોંધનીય બાબત છે આજુબાજુના ગામ તથા અન્ય સ્થળે વસ્તા ટોડાવાસીઓ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત હતા જેમાં રાજકોટથી પ્રોફે.ડો.કે.યુ.જાડેજા, ઉપલેટા રાજપુત સમાજના ઉપપ્રમુખ ઉદયસિંહ જાડેજા તથા મંત્રી આઇ.ડી.જાડેજા લીંબડીના સામાજીક આગેવાન જયેન્દ્રસિંહજી રાણા, જામખંભાળીયા રાજપુત સમાજના પૂર્વ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, ગોંડલ શહેર સુધરાઇ સભ્ય ઓમદેવસિંહ જાડેજા, જામનગરથી બહાદુરસિંહજી  જાડેજા તેમજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. અજયસિંહ કે.જાડેજા તેમજ માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર બળદેવસિંહ જાડેજાની હાજરી ઉલ્લેખનીય છે. સ્થાનીક આગેવાનોમાં ટોડા ગામના સરપંચ જીતુભા ગંભીરસિંહજી શિવુભા ગજુભા બાપુ, હરિસિંહજી, ચંદ્રસિંહજી, કિરીટસિંહજી બાપુ, ઘનશ્યામસિંહ કુંભાજી, ગુલાબસિંહ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરેડી ગામના સરપંચ બહાદુરસિંહ માછરડા ગામના સરપંચ પંકજસિંહ ફગાસ ગામના સરપંચ જયદિપસિંહ ભંગડા ગામના ઇન્દુભા હાજર રહ્યા હતા.

આ બંને સમાજવાડી માટેછેલ્લા એક વર્ષ સુધી સતત પોતાની અમુલ્ય સેવાઓ આપવા માટે જયેન્દ્રસિંહજી શિવુભા જાડેજા, ચંદ્રસિંહજી શિવુભા, ગજુભાબાપુ, સતુભા મલુજી જાડેજા, પરાક્રમસિંહ વિભાજી, જશુભા તેમજ નરેન્દ્રસિંહજી બાપાલાલ જાડેજાની સેવાઓની નોંધ સમગ્ર ગામ તથા સમાજે ભાવપૂર્વક લીધેલ હતી.(૬.ર)

(9:30 am IST)