Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ધનુર્માસ નિમિત્તે શ્રૃંગાર

વાંકાનેરઃ ગઇકાલે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે દાદાને ધનુર્માસ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલો તેમજ ખજુરીના પાંદ વડે વિશેષ દિવ્ય શણગાર ધરાવી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમ જ શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) કરવામાં આવેલ. પવિત્ર ધનુર્માસ દરમિયાન દાદાના મંદિરના પટાંગણમાં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. શ્રી મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેનો હજારો ભકતોએ ઓનલાઇન યુટયુબ ચેનલ દ્વારા આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

(10:37 am IST)