Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

નર્મદા મુદ્દે કચ્છના કિસાનો બન્યા આક્રમક : સાંસદ, ધારાસભ્યોને ઘેરાવ, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર અને કચ્છ બંધની ચીમકી

ભુજમાં આજે યોજાયેલા ધરણામાંસમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતો, તમામ સમાજો અને સાધુ સંતો જોડાયા, જો ૨૦ જાન્યુ. સુધી સરકાર વહીવટી મંજુરી નહી આપે તો ૨૧ મીથી જલદ આંદોલનની ચીમકી

dir="auto">
 (વિનોદ ગાલ દ્વારા)ભુજ::: કચ્છમાં નર્મદાના નીર માટે કચ્છના ખેડૂતો આકરા પાણીએ છે. આજે ભુજના ટીન સીટી ગ્રાઉન્ડમાં યોજાયેલા ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત સમગ્ર કચ્છમાંથી વિવિધ સમાજના પ્રતિનિધિઓ, સાધુ સંતો જોડાયા હતા. કચ્છને વન મિલિયન એકર ફીટ નર્મદાનું પાણી મળી રહે તે માટે આજે ધરણા કરવામાં આવ્યા હતા.
આ ધરણાને કચ્છની ૪૦૦ ગ્રામ પંચાયતોએ પણ ટેકો જાહેર કર્યો છે.
(1:58 pm IST)