Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જામનગરમાં સામ-સામી સગાઇ તૂટી જતાં યુવકે ફરી સગાઇનો પ્રયત્ન કર્યોઃ અંતે મોતને ઘાટ ઉતારી દીધી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: જામનગરના દરેડ પાસે મળેલ યુવતિના મૃતદેહ બાદ પોલીસે આ બનાવનો ભેદ ઉકેલ્યો છે. સામસામી સગાઇ તૂટી જતા યુવકે ફરી સગાઇનો પ્રયત્ન કર્યો અને અંતે યુવતિને મોતને ઘાટ ઉતારી હતી.

પંચ બી પોલીસ સ્ટેશનમાં અમીત જીવરાજભાઈ વીરાભાઈ હીંગળા, ઉ.વ.ર૩, રે. દરેડ મુરલીધર પાર્ક–ર, સોસાયટી મકાન નં.ર૪/પ જિ. જામનગરવાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૮–૧ર–ર૦ર૧ ના દરેડ જી.આઈ.ડી.સી. માં એપલ ગેઈટ ૧ થી બાલાર્ક કારખાનાની દિવાલ નજીક પાણીના ખાડા પાસે મરણજનાર ભારતી ઉર્ફે આરતી જીવરાજભાઈ હીંગળા, ઉ.વ.ર૧, વાળીનું કોઈપણ રીતે મોત નીપજાવી તેની લાશ સળગાવી દીધેલ હાલતમાં દરેડ જી.આઈ.ડી.સી. માં એપલ ગેઈટ ૧ થી બાલાર્ક કારખાનાની દિવાલ નજીક પાણીના ખાડા મળી આવતા તપાસ કરતા મરણજનારની સગાઈ શકમંદ ઈસમ કરણ શંકરભાઈ સાદીયા, રે. જામનગરવાળા  સાથે ચારેક માસથી થયેલ અને મજકુર ઈસમની બહેનની સગાઈ ફરીયાદી અમીતભાઈ સાથે સામસામે થયેલ દરમ્યાન આઠેક દિવસ પહેલા બંન્ને પક્ષની સગાઈઓ તુટી ગયેલ જેથી ચારેક દિવસ પહેલા શંકમદ કરણ શકંરભાઈ સાદીયા મરણજનાર ભારતી ઉર્ફે આરતી સાથે ફરી પાછી સગાઈ કરવાની વાત કરતા ફરીયાદી અમીતભાઈ તથા તેની માતાએ સગાઈ ની ના પાડવા છતા શંકમદ ઈસમ કરણ શંકરભાઈ એ મરણજનાર ભારતી ઉર્ફે આરતી સાથે વાતચીત તથા સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ અને શંકમદ કરણ શંકરભાઈ એ મરણજનાર ભારતી ઉર્ફે આરતી ને તા.૮–૧ર–ર૦ર૧ ના રોજ રોયલ કારખાને બપોરના મળવા ગયેલ અને સાંજના મરણજનાર ભારતી ઉર્ફે આરતી ને રોયલ કારખાનેથી પોતાના મોટરસાયકલ પર બેસાડી લઈ ગયેલ હોય જેથી તેણે અથવા તેના મળતીયાએ મરણજનાર ભારતી ઉર્ફે આરતી નું કોઈપણ રીતે મોત નીપજાવી લાશને સળગાવી દઈ પાણીના ખાડામાં ફેકી દઈ પુરાવાનો નાશ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

(2:18 pm IST)