Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ખંભાળિયા પાસે ૪ નો ભોગ લેનાર કાર ભાટીયાની હોવાનું ખુલ્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૧ : દેવભુમી દ્વારકાના દ્વારકા યાત્રાધામમાં દર્શન કરીને અમદાવાદ પરત જવા નીકળેલા રાજપુત પરિવારને થોડે દુર અકસ્માત થતા ચાર વ્યકિતના મોત નીપજયા હતા તથા અગિયાર વર્ષનો બાળક બચી જવા પામેલ.

દરમિયાન અકસ્માત સર્જનાર સ્કોડા ફોબીયા કાર જે દ્વારકા જિલ્લાની હતી તેની નંબર પ્લેટ તથા અન્ય તપાસ પરથી દ્વારકા પો. ઇ.શ્રી પી.બી.ગઢવીને વિગતો મળતા અકસ્માત સર્જીને ભાગી જનાર ભાટીયા તા. કલ્યાણપુર પંથકના હોવાનું તથા મોટર ભોગાતની હોવાનું જણાતા તે દિશામાં પો. ઇ. ગઢવીએ ઉંડી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં તુરત જ બનાવના સ્થળે પહોંચી જઇને રીનાબેન ૧૦૮ના કર્મી તથા તેમના સ્ટાફે ખુબ ઝડપી કાર્યવાહી કરી હતી.

(1:11 pm IST)