Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જેતપુરમાં યુવા ભાજપ દ્વારા વિર સપુતોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો

 જેતપુરઃ દેશના સંરક્ષણ ખાતાના ત્રણેય પાંખના વડા સી.ડી.એસ. બિપીન રાવત સહિત ૧૩ વિર જવાનોએ હેલીકોપ્ટર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય આવા વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ ગઈકાલે સાંજે ૭.૩૦ કલાકે ભાજપ યુવા મોર્ચા દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલ, સ્ટેન્ડ ચોક ખાતે રાખવામાં આવેલ. જેમાં મનસુખભાઈ ખાચરીયા, જશુમતિબેન કોરાટ, દિનેશભાઈ ભુવા, સીટી પીઆઈ પી.ડી. દરજી, કિશોરભાઈ શાહ સહિતના શહેરની જુદી જુદી સામાજીક સંસ્થા, દેશપ્રેમી લોકોએ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ગઢીયાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ રાહુલ આશનાણી, ભરતભાઈ પાતા, ચીમન ખાચરીયા, મેહુલભાઈ વોરા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(1:10 pm IST)