Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જોડીયાના ભાદરમાં આવેલBAPS સ્વામીનારાયણ મંદિર અને શ્રી ગુણાતીતાનંદ મહારાજ સ્વામીના જન્મસ્થળ ખાતે આજે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસની વિશેષ ઉજવણી

વાંકાનેર,તા.૧૧ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા મુકામે આવેલ સુપ્રસિદ્ધ  BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને શ્રી ગુણાતીતાનંદ સ્વામી નુ જન્મસ્થાન પણ ભાદરા મા છે. જ્યાં આજે બ્રહ્મ સ્વરૂપ વંદનીય શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી ના (૧૦૦માં જન્મદિવસ ) હોય આજરોજ ભાદરા મંદિરમાં નિજ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન મંદિરમાં વિશેષ શણગાર દર્શન, મહા આરતી, વિશેષ પૂજન અર્ચન પ.પૂ. કોઠારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી તથા સૌ સંતો દ્વારા કરવામાં આવેલ તેમજ ભાદરા મંદિરમાં પ.પ.ૂ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીની મૂર્તિ પણ બિરાજમાન છૅ તેમજ શ્રી યોગીજી મહારાજ, ભગત મહારાજ તેમજ શ્રી ગુણાતીતાનંદ સ્વામી નંુ જન્મસ્થળ હોય આ જગ્યાનો અનોખો મહાત્મ્ય છે આ જગ્યામાં શ્રી ગુણાતીતાનંદ સ્વામીની ભૂમિમાં પ પૂજ્ય વંદનીય શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી અવાર નવાર દર્શન કરવા ભાદરા BAPS મંદિર શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મ સ્થળમાં દર્શન કરવા પધારતા અને આઠ, દસ દિવસ ક્યારેક ક્યારેક રોકાઈ એમના દર્શન અને સતસંગ નો લ્હાવો ભાદરાના નગરજનો નેં તેમજ જોડિયા તાલુકાની પ્રજાનેં ખુબ દર્શનનો લાભ મળેલ છે. આજે પૂજ્ય બાપાનો જન્મોત્સવ હોય ભાદરા મંદિરમાં વિશેષ શણગાર દર્શન, મહા આરતી, પૂજન અર્ચન સંતો દ્વારા સવારે કરવામાં આવેલ હતું જેં યાદી BAPS ભાદરા મંદિરના ભકતજન જોડિયાવાળા શ્રી ભરતભાઈ ગણાત્રાની યાદીમાં જણાવાયું છે. 

(12:50 pm IST)