Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પિતાના મૃત્યુ બાદ વ્યથિત રહેતા દ્વારકાના વરવાળાના યુવાનનો આપઘાત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા, તા.૧૧: દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા રવિભાઈ ભાણજીભાઈ ઘોઘલીયા નામના ૩૨ વર્ષના ખારવા યુવાને ગઈકાલે શુક્રવારે બપોરે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી, દીવાસળી ચાંપી દેતાં તેમનું દાઝી ગયેલી હાલતમાં કરૂણ મૃત્યુ નિપજયું હતું.

મૃતક રવિભાઈના પિતા આજથી આશરે ત્રણેક માસ પૂર્વે અવસાન પામ્યા હોય, ત્યારથી તેઓ ગુમસુમ રહેતા હતા. આ ઉપરાંત તેમનું મગજ પણ થોડું તામસી હોવાથી આ પરિસ્થિતિમાં તેમણે વરવાળા ગામના એક મંદિર પાછળ આવેલી બાવળની ઝાડીમાં જઈને સળગી જઈ, આપદ્યાત કરી લીધા અંગેની જાણ વરવાળાના રહીશ ઉમેશભાઈ પરસોત્ત્।મભાઈ ઘોઘલીયા (ઉ.વ. ૪૧) એ દ્વારકા પોલીસને કરી છે. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:02 pm IST)