Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ગારીયાધારમાં કોરોનાએ એકનો ભોગ લીધો

વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝનો સમય આવે તે પહેલા મોત નિપજ્યું

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૧ : ભાવનગરમાં કોરોના થી એકનું મોત નિપજયું છે.

ભાવનગરના ગારિયાધારના ૬૪ વર્ષના કોરોના સંક્રમિત પુરૂષનું સારવાર દરમિયાન મોત નીપજતા ભાવનગર જિલ્લાનો કોરોનાથી કુલ મૃત્યુઆંક વધી ૨૯૯ થવા પામ્યો છે.

ભાવનગર માં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર માં ૬૪ વર્ષના કોરોનાથી સંક્રમિત થયેલા પુરુષનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. મૃત્યુ પામનાર દર્દીએ વેકસીન નો પહેલો ડોઝ લીધો હતો અને બીજા ડોઝની તારીખ આવી ન હતી ત્યાં કોરોના સંક્રમિત થયો હતો થયા હતા. અને આજે મોત નીપજયું હતું.

ભાવનગરમાં કોરોના ના ત્રણ દર્દીઓ ડિસ્ચાર્જ થતા અને એક દર્દીનું મોત નિપજતા ભાવનગરમાં કોરોના એકટીવ દર્દીની સંખ્યા ૩૦ થઈ છે. જયારે અત્યાર સુધી કોરોનાથી ભાવનગર જિલ્લામાં કુલ મૃત્યુઆંક વધીને ૨૯૯ થવા પામ્યો છે.

(10:56 am IST)