Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ભાવનગરના અગીયાળીમાં પોષ દશમીના અઠ્ઠમ તપની આરાધનાનો પુણ્યભીનો પ્રારંભ

પૂ.ઇન્દ્રસેનસુરિશ્વરજી મ.સા., વિશ્વસેનસુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ગુરૂવાર સુધી વિવિધ કાર્યક્રમો

ભાવનગર, તા. ૧૧ : અહીંયા અગીયાળી જૈન સંઘ દ્વારા અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની અનુપમ સામૂદાયિક પોષ દશમી અઠ્ઠમ તપની આરાધનાનો મુખ્ય લાભાર્થી માતુશ્રી ગજરાબેન મુળચંદભાઇ શાહ પરિવાર દ્વારા પૂ. મેરૂપ્રભુસુરિશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પૂ.આ.ભા. ઇન્દ્રસેનસુરિશ્વરજી મ.સા. પૂ.આ.ભ. વિશ્વસેનસુરિશ્વરજી મ.સા. આદી ઠાણાની નિશ્રામાં ગઇકાલથી પુત્યભીનો પ્રારંભ થયો છે.

જેમાં આવતીકાલે સવારે ૯ કલાકે પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણક નિમિતે સમગ્ર ગામમાં રથયાત્રા બાદ ૧ર-૩૯ કલાકે ભોજનશાળાની ખનન વિધી તથા તા. ૧૩મીએ શંખેશ્વર સાચો સાહેબ સ્ટેજ પોગ્રામ તથા લાભાર્થી પરિવારનું બહુમાન તથા તા. ૧૪મીએ સવારના શાહી પારણા સહિતના કાર્યક્રમો યોજાનાર છે. સાથે ાસથે પ્રભુજીને ભવ્ય અંગરચના રાત્રી ભાવના જેવ અનેકવિધ કાર્યક્રોમનું પણ આયોજન માતુશ્રી રસીલાબેન ચંદ્રકાંતભાઇ શાહ તથા સહાયક દાતાઓ તરફથી કરવામાં આવ્યું છે. (૮.૯)

 

(1:15 pm IST)