Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મહુવાના ધારાસભ્‍ય અને રાજ્‍ય સરકારના મંત્રી આર.સી.મકવાણાને ટિકીટ ન મળતા મહુવા ભાજપમાં ભડકો

સંગઠન તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓના રાજીનામાઃ રાજીનામા આપવા જીલ્લા ભાજપના પ્રમુખને શિહોર જવા રવાના

ભાવનગર,તા. ૧૧ : ભાજપ કેન્‍દ્રીય નેતૃત્‍વ એ ગુજરાત વિધાનસભા ની ચુંટણીના ઉમેદવારના નામ જાહેર કરયા તેમા મહુવાના ધારાસભ્‍ય અને રાજય સરકાર ના મંત્રી આર.સી.મકવાણાને ટિકિટનો મળતા તેમના સમર્થકો તેમજ સંગઠન અને ચુંટાયેલા પ્રતિનિધિઓએ વિરોધ કરી તળાજાના શિવાભાઇ ગોહિલને બદલે સ્‍થાનિક ધારાસભ્‍ય અને મંત્રી આર .સી. મકવાણાને ટિકિટ આપવાનીની માગણી કરી હતી.

આ વિરોધમાં મહુવા નગરપાલિકાના ચુંટાયેલા ૨૪ સભ્‍યો તેમજ મહુવા તાલુકા પંચાયતના ચુંટાયેલા ૧૮ સભ્‍યો તેમજ મહુવા વિધાનસભા મા આવતા ભાવનગર જીલ્લા પંચાયતના ૪ સભ્‍યો સહિતના સંગઠનના સભ્‍યો મહુવા શહેર સંગઠન તેમજ ગ્રામ્‍ય સંગઠન તેમજ ૬ એ મોરચા સહિતના ૧૦૦૦ ઉપરાંતના કાર્યકરો શિહોર મુકામે ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખને રાજીનામા દેવા જવા રવાના થયા હોવાનુ જાણવા મળેલ છે તેમ રહીમ આર વસાયા એ એક યાદી મા જણાવેલ છે. 

(10:31 am IST)