Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સુરતના યુવાનો સાયકલ લઇને વીરપુર પૂ.જલારામબાપાના દર્શને આવ્યા

વિરપુર, તા.૧૧: સૌરાષ્ટ્રના સમરથ સંત શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિને લઈને યાત્રાળુઓ દૂર દૂરથી જલારામ બાપાના દર્શન કરવા વીરપુર આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના સચિન તેમજ ગભેણી ગામેથી ૫૦ જેટલા યુવાનો સાયકલ લઈને ૫૧૦ કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા, જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ઘા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ૫૧૦ કિમિ દૂરથી વીરપુર આવતા રસ્તામાં કોઈપણ જાતની તકલીફો પડી નથી તેમજ દરરોજના ૧૦૦ થી ૧૫૦ કિમીનું અંતર સાયકલ કાપી અને જય જલારામના નાંદ સાથે વીરપુર પહોંચીને પૂજય જલાબાપાના દર્શન કરીને ધન્યતા અનુભવ હતી.(તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયાઃ વીરપુર)

(11:25 am IST)