Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગોંડલના દેવચડીમાં દાઝી ગયેલા જ્યોતિબેનનું મોત

બીલીયાળામાં બેભાન થઇ જતાં એમપીના ૧૮ વર્ષના શંકરનું મોત

રાજકોટ તા. ૧૧: ગોંડલના દેવચડીગામે રહેતાં જ્યોતિબેન જીતેન્દ્રભાઇ ભોલીયા (ઉ.વ.૪૦) ૨૨/૮ના રોજ ઘરની અગાસીએ સ્ટવ પર રસોઇ બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં ગોંડલના બિલીયાળામાં શૈલેષભાઇ ગઢીયાની વાડીમાં પરિવાર સાથે રહી મજૂરી કરતો મુળ એમપીનો શંકર મંછારામ જોગેલા (ઉ.વ.૧૮) પથરીનો દુઃખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજ્યું હતું. ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવથી મજૂર પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:00 pm IST)