Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાથી વધુ એક દર્દીનું મોત : કોરાના પોઝીટીવના નવા ૧૩ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ : જિલ્લામાં કોરાનાથી સારવાર દરમિયાન ગઇકાલે એક પુરૂષ દર્દીનું મોત નિપજયા બાદ વધુ એક પુરૂષ દર્દીનું કોરાનાથી સારવારમાં મૃત્યુ નિપજયું છે.

ગઇકાલે કોરોના શંકાસ્પદ ૮૭ કેસમાં દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં ૧૩ કેસમાં કોરાના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. જયારે ૭૪ કેસના કોરાના નેગેટીવ રીપોર્ટ આવેલ છે. જિલ્લામાં ૧૩ કરોના પોઝીટીવ કેસમાં છાંયાના રપ વર્ષના યુવાન, ખારવાવાડમાં ૪૧ વર્ષના મહિલા, મીલપરામાં ૪૪ વર્ષના પુરૂષ, સુતારવાડામાં ૬૦ વર્ષના પુરૂષ ઉપરાંત મીડલ સ્કૂલ વિસ્તાર, રાજીવનગર, રાણાવાવ, મજીવાડામાંથી કોરાના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે.

(12:49 pm IST)