Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જામનગર જિલ્લાના કૃષકોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના અને કિસાન પરિવહન યોજનાનાં મંજુરીપત્રો એનાયત

જામનગર,તા.૧૧: ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થી આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જામનગર ખાતે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ છ તાલુકાઓને ત્રણ તાલુકાઓના કલસ્ટરમાં બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેમાં સવારના સમયે કાલાવાડ એ.પી.એમ.સી અને બપોરના સમયે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ,ગ્રામીણ વિકાસ અને માર્ગ પરિવહન મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કાલાવડ ખાતે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકાના તેમજ હાપા ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના ૩૪ લાભાર્થીઓને સ્ટેજ પરથી મંજૂરીપત્રો અને મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશના પત્રો એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના કુલ ૨૦૦ ખેડૂતોને આ યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયતા કરવામાં આવ્યા છે.

આ યોજના દ્વારા રાજય સરકાર વાવણીથી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતોના પડખે ઊભી રહી અને સહકાર માટે ઉભી છે એમ જણાવતાં મંત્રી આર.સી.ફળદુએ  કહ્યું હતું કે, દરેક વર્ગનો સર્વાંગી વિકાસ થાય,  દરેક વર્ગની આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને તેમના માટે યોજનાઓ અમલી બનાવી રાજય સરકાર લોકાભિમુખ શાસન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. રાજયનો ખેડૂત આગળ વધે, ખેત પ્રવૃત્ત્િ।માં તેને ઉત્ત્।ેજન મળે તે માટે રાજયના કૃષિવિભાગ દ્વારા ખેડૂતોની અનેક યોજનાઓ અમલી બનાવી રહી છે. ખેડૂતના ખેતરમાં ઉભેલા પાકને સંગ્રહ કરવા માટે નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો પાસે કોઈ વ્યવસ્થા ન હતી. જેના કારણે ખેડૂતોને સામાન્ય ભાવ સમયે પણ પોતાનું સંપૂર્ણ ઉત્પાદન તાત્કાલિક વેચી દેવું પડતું હતું. આ યોજનાથી હવે તેઓ ઉત્પાદનને સંગ્રહ કરી સમયાંતરે વેંચી અને પાકના પોષણક્ષમ ભાવ મેળવી શકશે.

સમગ્ર રાજયમાં આ યોજના થકી ૧ લાખ ૧૬,૦૦૦ ખેડૂતોના ખેતરે પાક સંગ્રહ ગોડાઉનો બનશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કૃષકો માટેની આ યોજનાનો મહત્ત્।મ ખેડૂતો લાભ લે તો આ યોજનાનો હેતુ બર આવે અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકશે.

 સાથે જ કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને ૫૦,૦૦૦થી ૭૫,૦૦૦ જેટલી સબસીડી પરિવહન માટેના વાહનની ખરીદી પર મળશે, જેનાથી ખેતી માટે શહેરમાંથી ખાતર, બીજ વગેરે લાવવું, તદુપરાંત પાકને યાર્ડ ખાતે વેચવા માટે પણ ખેડૂતો આત્મનિર્ભર બનશે. જે ખેડૂતો ફળો-શાકભાજી જેવા ઉત્પાદનોની ખેતી કરે છે તેઓને રોજબરોજ યાર્ડ ખાતે આ જણસો વેચવા જવાનું થતું હોય આ પરિવહન યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓને આ પાક વેચવા માટે અન્ય પર આધારિત નહીં રહેવું પડે. જામનગર જિલ્લામાં ૩૩૪૫  ખેડૂતોની પાક સંગ્રહ માટેની અરજી અને પરિવહન વાહન માટેની ૧૯૩ અરજીઓ મંજૂર થયેલી છે.

આ યોજના ખેડૂતોની પાક સંગ્રહ ક્ષમતા વધશે અને પાક પરિવહનની ક્ષમતા પણ હશે જેના કારણે પ્રધાનમંત્રીશ્રીની ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા તરફ ગુજરાતના ખેડૂતોની મકકમ ગતિ થઇ રહી છે, તેમ જણાવી સાંસદશ્રી પૂનમબેન માડમ કહ્યું હતું કે, કૃષિક્ષેત્રે અનેક યોજનાઓના માધ્યમથી રાજય સરકાર ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે, અન્ય રાજયોની સાપેક્ષે ગુજરાત કૃષિક્ષેત્રે અગ્રીમ છે. ખેડૂતોને આત્મનિર્ભરતા તરફ લઈ જવાની આ યોજનાના માધ્યમથી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ખેડૂત બનવા તરફ રાજય આગળ વધી રહ્યું છે.

તો ધારાસભ્યશ્રી રાદ્યવજીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નો જેવા કે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ખેડુતોને મળતા લાભ વિષે માહિતી આપી હતી અને રાજય સરકારના ખેડૂતોને સવારના સમયે વીજળી આપવાના નિર્ણયને વધાવ્યો હતો.

આ કાર્યક્રમમાં કાલાવડ ખાતે એ.પી.એમ.સી કાલાવડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, કાલાવડ નગરપાલિકા પ્રમુખશ્રી અજમલભાઈ ગઢવી, લાલપુર એ.પી.એમ.સી.ના ચેરમેન કરણસિંહ જાડેજા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઈ ડાંગરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કશ્યપભાઈ વૈષ્ણવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અફસાના મકવા, પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય તથા હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અગ્રણી  મુકુંદભાઈ સભાયા, જાડાના પૂર્વ ચેરમેન  દિલિપસિંહ ચુડાસમા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, અગ્રણી પ્રવિણસિંહ ઝાલા, હાપા એ.પી.એમ.સીના વાઇસચેરમેની ધીરુભાઈ કારીયા, કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આહીર સમાજની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની ગ્રાન્ટમાંથી અંદાજીત ૩૫ લાખનાખર્ચના સી. સી. બ્લોકનાકામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કામનું મંત્રીશ્રી આર.સી.ફળદુ અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયરશ્રી કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતાશ્રી દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટરશ્રી ગોપાલભાઈ સોરઠીયા તથા વોર્ડના અન્ય કોર્પોરેટરશ્રીઓ, આહિર સમાજના અગ્રણીઓ, પટેલ સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)