Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભાવનગરમાં ૬૪ કેસો : ૬૮ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર તા.૧૧ : જિલ્લામાં વધુ ૬૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૩૩૪ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૨૬ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૩૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના લુવારા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, ઘોઘા તાલુકાના ઉખરલા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, જેસર ખાતે ૩, મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના બુઢણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૭, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રામપર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના માલપર ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના પાણવી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩૦ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૧ અને તાલુકાઓના ૩૭ એમ કુલ ૬૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૩૩૪ કેસ પૈકી હાલ ૪૯૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૭૮૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:44 am IST)