Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જામ ખંભાળીયા મા RTPCR લેબ નું ઉદ્ઘાટન કરતા રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા)

જિલ્લા ભાજપ દ્વારા ચાલતું કોવિડ કેર આયસોલેશનની મુલાકાત લીધી

જામ ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના વરદ હસ્તે RTPCR લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ કલેક્ટર ડીડીઓ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા ભાજપ દ્વારા ચાલતું કોવિડ કેર આયસોલેશનની મુલાકાત લીધી હતી તેમજ વરિયા પ્રજાપતિ સમાજ ખાતે દર્દીઓના સગા માટે  જિલ્લા ભાજપ દ્વારા ચાલતું રહેવા જમવાની વ્યવસ્થા સેન્ટર પર મુલાકાત કરી દર્દીઓ ના સગા મળી વ્યવસ્થા અંગે સુચન હોય તો જણાવવા કીધું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોવિડ ટેસ્ટ લેબ શરૂ થતાં રાહત ની લાગણી વ્યાપી છે આજના સમગ્ર કાર્યક્રમમાં પ્રિન્ટ અને ઇલોકટ્રોનિક મીડિયાના મિત્રો સાથે જોડાયા હતા

(6:49 pm IST)