Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જેતપુરના મોટા ગુંદાળામાં ગૃહકલેશથી કંટાળી પરપ્રાંતીય પરિણીતાને પતિ વિનોદ પટેલ અને જેઠે પતાવી દીધી

લક્ષ્મીબેનને ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ હાર્ટએટેકથી મોત થયાનું પડોશીઓને જણાવ્‍યું પણ ભાઇએ હત્‍યાની શંકા વ્‍યકત કરતા બંને ભાઇઓ પોલીસ પૂછપરછમાં ભાંગી પડયાઃ પતિ વિનોદ અને જેઠ લાલજીના આજે રીમાન્‍ડ મંગાશે

જેતપુર તા. ૧૧: જેતપુરના મોટા ગુંદાળા ગામે પરપ્રાંતીય પરિણીતાને ગૃહકલેશથી કંટાળી પતિ અને જેઠે ફાંસો આપી પતાવી દેતા ચકચાર જાગી છે. પોલીસે હત્‍યા કરનાર પતિ પટેલ યુવાન અને તેનાભાઇની ધરપકડ કરી રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મોટા ગુંદાળા ગામે રહેતા વિનોદભાઇ જીવરાજભાઇ અમીપરાના લગ્ન મહારાષ્‍ટ્રના લક્ષ્મીબેન સાથે થયેલ ગત તા. પના રોજ વહેલી સવારે પાડોશમાં લક્ષ્મીબેન મરણ પામેલ છે તેવી વાતચીત થતા લક્ષ્મીબેનના પાડોશમાં રહેતા મહારાષ્‍ટ્રના પુનાના વતની વંદનાબેન કે જેઓ લક્ષ્મીબેનના બહેનપણી હોય તેઓ તેમના પતિ સાથે લક્ષ્મીબેનના ઘેર ગયેલ ત્‍યારે ઘરના લોકોએ લક્ષ્મીબેનને એટેક આવતા મૃત્‍યુ પામેલ છે તેમ જણાવતા લક્ષ્મીબેનના મૃતદેહને રૂમમાં રાખેલ ત્‍યાં જઇ જોયેલ.

દરમ્‍યાન મૃતકના જેઠ લાલજીભાઇએ લક્ષ્મીબેનના ભાઇ એકનાથભાઇ રામજીભાઇને ફોનમાં વાત કરતા તેમણે એવું કહેલ કે મારી બેનનું પી.એમ. કરાવજો તેથી ધોરાજી ખાતે તેનું પીએમ કરાવી તેમની અંતિમ વિધી કરેલ બાદમાં પડોશી વંદનાબેનને મૃતક લક્ષ્મીબેનના પતિ વિનોદ સાથે વાત કરી સાચી હકિકત કહેવાનું કહેતા તેમણે જણાવેલ કે લક્ષ્મીના ઘર કંકાસથી હું ત્રાસી ગયો હોય રાત્રીના તે સુતી હતી ત્‍યારે અમે બન્‍ને ભાઇઓએ ચુંદડી વડે ગળાટુપો દઇ મારી નાખેલ હતી. આ અંગે પાડોશી વંદનાબેને પોલીસને જાણ કરતા પતિ વિનોદ અને તેના ભાઇ લાલજીને પકડી આકરી પુછતાછ કરતા બન્‍નેએ હત્‍યા કર્યાની કબુલાત આપી હતી.

તાલુકા પોલીસે વિનોદ અને તેનો મોટો ભાઇ લાલજી અમીપરા બન્‍ને વિરૂધ્‍ધ આઇપીસી ૩૦ર, ૪૯૮ (ક) ૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી પીએસઆઇ એસ. વી. ગોજીયા એ બન્‍ને શખ્‍સોની ધરપકડ કરી હતી. પકડાયેલ પતિ વિનોદ અને તેના ભાઇ લાલજીને આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

(2:10 pm IST)