Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કાલાવડના ખરેડીમાં ૩ ખેડૂત ઉપર હુમલો કરનાર દિપડો પાંજરે પૂરાયો

તસ્વીરમાં ઇજાગ્રસ્ત ખેડૂતો તથા ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ આશરા (કાલાવડ) મુકુંદ બદિયાણી -જામનગર)

કાલાવડ-જામનગરપતા.૧૧: જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડીમાં કાલે સાંજના સમયે ૩ ખેડૂત ઉપર હુમલો કરનાર દિપડો પાંજરે પૂરાયો છે.

ગઇ કાલે સાંજના સમયે ખરેડીના વાડી વિસ્તારમાં દિપડો ત્રાટકયો હતો અને ભીખાભાઇ મનસુખભાઇ વેકરીયા અને કાર્તિકભાઇ કયાડા ઉપર હુમલો કરતા તમામને સારવાર  માટે ખસેડાયા હતા.

કાલે સાંજના ૬ વાગ્યે વનવિભાગના ૧૨ કર્મચારી અને અધિકારીઓ ઉપરાંત પોલીસ સ્ટાફ પણ ખરેડી આવી પહોંચ્યો હતા. અને ભીખાભાઇ વેકરિયાની વાડીમાં દિપડો જે ઓરડીમાં ઘૂસી ગયો હતો. ત્યાં કોર્ડન કરી ફરી લેવામાં આવ્યું છે. દીપડાને બેભાન કરવા માટે ઇન્જેકશન પણ અધિકારીઓ સાથે લઇને આવ્યા હતા. અને દિપડો પાંજરામાં કેદ થયો હતો.

(1:01 pm IST)