Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ગીર ગઢડાના બોડીદરમાં કોરોનાના ૪ પોઝિટિવ કેસ

અમદાવાદથી આવેલ ૪ વ્યકિતઓને કવોરન્ટાઇન બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ

ઉના તા. ૧૧ : ગીરગઢડાના બોડીદરમાં કોરોનાના ૪ પોઝિટિવ કેસ આવેલ છે.

ગીર ગઢડાના બોડીદરમાં અમદાવાદથી ૪ વ્યકિતઓ આવતા અને તેમને કવોરન્ટાઇન કર્યા બાદ ચારેયનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ છે.

બોડીદરમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ થઇ રહ્યો છે. અમદાવાદથી આવેલ ૪ વ્યકિતઓના કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવતા ચારેયને કોરોન્ટાઇન સ્પેશીયલ વોર્ડમાં રાખવામાં આવેલ છે. ગીરગઢડા ચેમ્બર તથા ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોકોને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની દુકાનો સિવાય અન્ય દુકાનો ન ખોલવા જણાવાયું છે.

બોડીદર પંથકમાં સુરત - અમદાવાદ - રાજકોટ સહિત અન્ય શહેરમાંથી આવતા લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવેલ છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાય અન્ય દુકાનો નહી ખોલવા સૂચના

(1:00 pm IST)