Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

સુરત વેપાર-ધંધા તેમજ રોજગારી અર્થે સુરત ગયેલ જેતપુર-જામકંડોરણા પંથકના વતનીઓને જયેશભાઇ રાદડીયાએ વતન પહોંચતા કર્યા

૧૦૦ થી વધુ બસ દ્વારા લોકોને લાવવાના અભિયાનનો ખર્ચ જામકંડોરણા છાત્રાલય આપી રહ્યું છેઃ મેડિકલ ચેકઅપ લેઉઆ પટેલ સમાજ પાર્ટી પ્લોટ-જેતપુર અને જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે કરાયું

ધોરાજી-જેતપુર-નવાગઢ,તા.૧૧: કોરોના મહામારી અને લોક ડાઉનના સમય માં કામ ધંધો કે અન્ય કામો બંધ હોઈ તેવા સમયે સુરત શહેરમાં વેપાર-ધંધા તેમજ રોજગારી અર્થે જેતપુર-જામકંડોરણા પંથકના લોકો સુરત વસવાટ કરે છે. તેમને વતનમાં પરત આવવું છે લોકડાઉનમાંઙ્ગ વાહન વ્યવહાર બંધ છે તેવા સમયે આ જેતપુર જામ કંડોરણા વિસ્તારના આ પરિવારોને વતન માં કેવીરીતે જવું તે મુંઝવણ યુવા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા સુધી પહોંચી અને આ પંથકના જાગૃત ધારાસભ્ય અને મંત્રીશ્રી એ સુરતના આ પરિવારો માટે તુરત ઘટતું કરવા કાર્યવાહી કરાવી અને સુરતથી જેતપુર અને જામકંડોરણા પહોંચાડવા માટે પ્રાઇવેટ બસની વ્યવસ્થાઙ્ગ કરાવી આપી ઉપરાંત તમામ બસનું થતું તમામ ભાડું પણ જયેશભાઈના પિતા શ્રી સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાએ સ્થાપેલ જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલયઙ્ગ દ્વારા જ ચૂકવવામાં આવી રહ્યું છે.

જેતપુર અને જામ કંડોરણા ખાતે સુરતના આ પરિવારો બે દિવસથી લાવવામાં આવી રહ્યા છે તેનું મેડિકલ ચેક અપ- ટેમ્પ્રેચર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે તે સમયે શ્રી જયેશભાઈ રાદડિયા સતત જાગૃત રહી ખડેપગે ઉપસ્થિત રહીને સુરતથી આવનાર તમામ પરિવારો ને લોક ડાઉન અને હોમ કવોરેન્ટઈનના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવતા હતા આ સમયે મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા એ જણાવ્યું હતું કે કોરોનાઙ્ગ વાયરસ મહામારીના કારણે લોકડાઉન છે એવા સમયે સુરત શહેરમાં રોજગારી માટે રહેતા આ વિસ્તાર ના લોકોને પરિવાર સાથે વતન આવવું હતું આવવા માટેઙ્ગ વાહન તેમજઙ્ગ મંજૂરીની મુશ્કેલીઓ હતી તે તમામ કામગીરી કરીને આ પરિવારોને વતન પહોંચતા કરવા એ મારા વિસ્તારના લોકો માટેની માનવતાની ફરજ અદા કરવાનો મારો આ પ્રયાસ છે સુરત થી અંદાજે ૧૦૦ થી વધુ બસ દ્વારા જેતપુર-જામકંડોરણાના વતની ઓને લાવવાની કામગીરી ચાલુ છે આજ સુધી માં ૬૦ બસ માં ૧૦૦૦થી વધુ પરિવારોના ૨૫૦૦ જેટલા લોકોને તેમના વતન પહોંચતા કરવામાં આવ્યા છે જેમાં ૩૦ બસ જામકંડોરણા અને ૩૦ બસ જેતપુર ખાતે આવી ચૂકી છે બાકી રહી જતા લોકો ને પણ આગામી બે દિવસ માં તેમના વતન પરત લાવવામાં આવશે .

ઉલ્લેખનીય છે કે સુરત થી આવેલ આ તમામ પરિવાર લોકોને પોતાના ગામ કેઙ્ગ વતનમાં નિયમ મુજબ હોમ કવોરેન્ટાઈન કરવામાં આવશેઙ્ગ અને મેડિકલ ચેકઅપ કરવામાં આવતું રહેશે.

(11:10 am IST)