Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

દામનગરથી આરોગ્ય તપાસ કરી બે બસ દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાયા

 દામનગર, તા.૧૧: શહેરમાંથી એક સો જેટલા શ્રમજીવીને વતન મોકલવા માટે વહીવટી તંત્રની બેનમૂન કામગીરી દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, રણછોડભાઈ બોખા, અતુલભાઈ ગોહિલ, ધીરૂભાઇ સી નારોલા, સહિત પાલિકા તંત્ર એ જિલ્લા વહીવટી તંત્ર ના સંકલન માં રહી આરોગ્ય તપાસ કરાવી વડોદરા જવા માટે જરૂરી વ્યવસ્થા કરી દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે થી બે બસ મારફતે વડોદરા તરફ એક સો જેટલા શ્રમજીવીઓને સુવ્યવસ્થિત રીતે રવાના કર્યા હતા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આરોગ્ય તપાસ અને જરૂરી મંજૂરી ઓ મેળવી બે બસની વ્યવસ્થા કરી સાંજે દામનગર શહેર થી વડોદરા શહેરી અને ગ્રામ્યમાં જવા ઇચ્છતા શ્રમિકો ને મોકલવા માટે મેડિકલ તપાસ બાદ રવાના કર્યા હતા.

(11:08 am IST)