Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ગારીયાધારથી મજૂરો વતન રવાના

 ગારીયાધારઃ નગર પાલિકા કચેરી અને મામલતદાર કચેરીના સંકલનથી સવારે ૧૦ કલાકે શહેરમાં પાણીપુરી, ભેળ, પાંઉભાજી, સોના-ચાંદીની મજુરી કરતા ઉપરપ્રદેશના મજુરોને તેમના વતન લઇ જવા માટે ભાવનગર ખાતે ટ્રેન મારફતે મોકલવા ત્રણ ખાનગી બસ દ્વારા તંત્રના સહયોગથી રવાના કરવામા આવ્યા હતા. આ મજુર વર્ગને યોગ્ય રીતે પહોંચાડવા માટે ન.પાઢના કલાર્ક મહેતાભાઇ, આર.આર.વાઝા અને અલ્પેશભાઇ રાઠોડ સાથે ગયા હતા. બસને ગારીયાધાર મામલતદાર સરવૈયાભાઇ, શહેર ભાજપા પ્રમુખ નિલેશષભાઇ રાઠોડ, અને વેપારી વર્ગના અગ્રણી અલારખાભાઇ બીલખીયા દ્વારા લીલીઝંડી આપવામા આવી હતી. તે તસ્વીર.

(11:07 am IST)