Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મીઠાપુર : બાલમુકુંદ પાંજરાપોળની ગૌમાતાઓ માટે નિરણની સેવા

ખંભાળીયા તા.૧૧ : દેવભૂમી દ્વારકા જિલ્લામાં હાલ લોકડાઉન ચાલતુ હોય નિરાધાર તથા નધાણીયાતી ગૌમાતાઓની સ્થિતિ વિકટ થતી હોય અનેક સ્થળે સંસ્થાઓ, વ્યકિતઓ માનવતાના કામો કરી રહી છે ત્યારે જિલ્લાના મીઠાપુરમાં બાલમુકુંદ પાંજરાપોળ દ્વારા લોકડાઉન થયુ ત્યારથી ગૌમાતાઓ જે નિરાધાર છે તેની રોજ સેવા કરવામાં આવી રહી છે.

ગત ૨૪-૩-૨૦ થી જ બાલમુકુંદ ગૌશાળાના કાર્યકરો દ્વારા મીઠાપુર, સુરજકરાડી, આરંભડા, જયઅંબે સોસાયટી, મહાવીર સોસાયટી, આશાપુરા સોસા. વિ. અનેક સ્થળોએ નિરાધાર તથા રઝડતી ગૌમાતાઓને મશીનની કાપેલી નિરણ આ સંસ્થાના કાર્યકરો દ્વારા રોજ ગૌમાતાઓને પહોચાડીને માનવતાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.આ સેવાભાવી સંસ્થા જયા સુધી લોકડાઉન પુર્ણ ન થાય ત્યા સુધી આ કાર્ય ચાલુ રાખવાની છે જે ખૂબ જ પ્રશંસનીય બન્યુ છે.

(11:02 am IST)