Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબીમાં શ્રમિકોને વતન પરત જવા સિરામિક એસો ઓફિસે રજીસ્ટ્રેશન કામગીરી

મોરબી,તા.૧૧: જીલ્લામાં સિરામિક સિવાયના અને છૂટક મજુરી કરતા અન્ય રાજયના શ્રમિકોને પોતાના વતનમાં જવા રજીસ્ટ્રેશન કરાવવા મોરબી સિરામિક એસો ઓફીસ ખાતે સુવિધા શરુ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડેલ યાદીમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં રહેતા સિરામિક સિવાયના ઉધોગના અને છૂટક મજુરી કરતા શ્રમિકોને ટ્રેનમાં વતન જવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે સિરામિક એસો સાથે ચર્ચા કરવામાં આવતા સિરામિક ઉદ્યોગ સિવાયના અન્ય શ્રમિકોના રજીસ્ટ્રેશનની કામગીરી માટે સિરામિક એસો દ્વારા તત્પરતા બતાવતા હવેથી શ્રમિકોનું રજીસ્ટ્રેશન પણ સિરામિક એસો દ્વારા હાથ ધરવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટે મોરબી સિરામિક એસો ઓફીસ રીયલ પ્લાઝા ૧, વર્ધમાન હોટેલ પાસે, નેશનલ હાઈવે મોરબી ખાતે સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી સંપર્ક કરવાનો રહેશે.

(10:10 am IST)