Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબીમાં દુકાનો ખોલવાના સમયમાં ફેરફાર કરવા કલેકટરને રજુઆત

મોરબી,તા.૧૧:  ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીલ્લા કલેકટરને પત્ર પાઠવી કે લોકડાઉન ૩ માં તા. ૧૭-૦૫ સુધી મોરબી શહેરમાં વેપારનો સમય સવારે ૭ થી બપોરના ૩ વાગ્યા સુધી રાખવામાં આવે તે માટે જીલ્લા ભાજપ પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતના દ્વારા શહેરના વિવિધ એસો સાથે ચર્ચા કર્યા પછી દુકાનનો સમય સવારે ૭ થી બપોરે ૩ સુધી રાખવામાં વાંધો ના હોય જેથી તા. ૧૭ સુધીના સમયગાળાનું જાહેરનામું પ્રસિદ્ઘ કરવા વિનંતી કરી છે.

કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે, સાંજ સુધી તંત્ર દ્વારા કોઈ સત્ત્।ાવાર જાહેરનામું પ્રસિદ્ઘ કરાયું ના હતું તે ઉપરાંત પોલીસે પણ વેપારીઓને બપોરે ૩ સુધી દુકાનો ખોલવા વિનંતી કરી હતી જોકે વેપારીઓને દુકાનો બપોરે ૩ સુધી જ ખુલ્લી રાખવી કે સાંજે ૫ સુધી તેનો જવાબ કોઈ આપતું નથી જેથી વેપારીઓમાં અસમંજસ સાથે ભારોભાર રોષની લાગણી પણ જોવા મળી હતી.

(10:09 am IST)