Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મોરબીમાં સતવારા સમાજના ચતુર્થ સમૂહલગ્ન

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ૪થા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૨ નવ યુગલો લગ્નગંથીથી જોડાયા હતા. આ સમુહ લગ્નમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ અગ્રણી જે. પી. જેસ્વાણી, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંઝારીયા, કેતનભાઇ જોષી (અધિક નિવાસી કલેકટર), સી. કે. જોષી (ચેરીટી કમિશનર), માવજીભાઇ નકુમ – જામનગર, અશોકભાઈ કંઝારીયા – રાજકોટ, સતવારા દર્પણ ના તંત્રી કાંતિ માસ્તર, ડો. રાઠોડ – જામનગર, ડો. જીગ્નેશ હડીયલ, સતવારા સમાજના કવિ નરશીભાઇ ચાવડા, સહિતના સંતો-મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભાશિષ પાઠવ્યા હતા. નગરપાલિકાના કાઉન્સીલર અને સતવારા સહકાર મંડળના કન્વીનર ભાવેશભાઇ કંઝારીયાએ પોતાના ભત્રીજો રોહિત શાંતિભાઇ કંઝારીયા કે જે હાલ મોરબીમાં એન્જિીનયર છે. તે પણ સમુહ લગ્ન મારફતે લગ્નગંથીથી જોડાયા હતા. અને સમાજ ના અન્ય યુવાનોને પ્રેરણા આપી હતી. આ સમુહ લગ્નને સફળ બનાવવા સતવારા સહકાર મંડળના પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, મંત્રી લાલજીભાઇ જાદવ, કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા, ગણેશભાઇ નકુમ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમૂહલગ્ન સભારંમની તસ્વીર

(1:23 pm IST)