Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જુનાગઢ લખધીર પરિવાર આયોજીત ભાગવત સપ્તાહમાં આર્શિવચન આપતા પૂ.શેરનાથબાપુ

જૂનાગઢ : સમસ્ત લખધીર પરિવારના પિતૃઓના મોક્ષાર્થે ખલીલપુર રોડ સ્થિત ખોડલ ફાર્મ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ શાસ્ત્રી શ્રી અશોકભાઇ જોષી (સાવરકુંડલાવાળા) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં કથાનું રસપાન કરાવતા અશોકભાઇ જોષી તેમજ પૂ. શેરનાથબાપુ સન્માન કરતા લખધીર પરિવાર તેમજ કથાશ્રવણ કરતા પૂ. બાપુ નજરે પડે છે. સમગ્ર કથાના કાર્યક્રમને સફળ બતાવવા શ્રી પ્રભાતભાઇ નારણભાઇ લખધીર તેમજ હિતેષભાઇ તથા રાજુભાઇ અને સમસ્ત પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે. આવતીકાલે તા. ૧ર ને શુક્રવારના રોજ આ કથા વિરામ લેશે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:33 pm IST)