Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

બીલખમાં અયોધ્યા અને હરિયાણાનાં ર સાધુના મોતથી સંત સમાજમાં ગમગીની

બંને સંતો બિમારી સબબ સારવારમાં હતા

જૂનાગઢ તા. ૧૧ :.. બીલખામાં અયોધ્યા અને હરિયાણાનાં સાધુનું મૃત્યુ નિપજતા સંત સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે અયોધ્યાના સાધુ બાબાદાસ ગુરૂદાસ (ઉ.પ૪) અને હરિયાણાનાં સાધુ લાલનાથ સોમનાથ (ઉ.૭૦) નામનાં સંતો જૂનાગઢ જિલ્લાનાં બીલખા ખાતેનાં આશ્રમે તાજેતરમાં આવ્યા હતાં.

ગત તા. ૧ લી એપ્રિલનાં રોજ બંને સાધુને સારવાર માટે જૂનાગઢની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં આઇશોલેશન વોર્ડમાં ગઇકાલે સવારે બાબાદાસ ગુરૂદાસે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતાં.

આ પછી સાંજે લાલનાથ સોમનાથ પણ અનંતની યાત્રાએ ઉપડી ગયા હતાં. આમ બે સંતનું અમુક કલાકોનાં અંતરે અવસાન થતાં સંત સમાજમાં ગમગીની પ્રસરી ગઇ હતી. બંને સાધુના દેહ વિલય બિમારી સબબ થયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.બીલખા પોલીસે અયોધ્યા અને હરીયાણાનાં સંતનાં નિધન અંગે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)